સાવધાન! સરકારે આ કારણે રદ કર્યા 3 કરોડ રાશન કાર્ડ, ક્યાંક તમારુ કાર્ડ તો નથી ને સામેલ.

કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યુ કે, રાશન કાર્ડના ડિજિટલીકરણ અને આધાર સિડિંગ દરમિયાન 3 કરોડ રાશનકાર્ડ ખોટા મળી આવ્યા છે. જેમને રદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, સરકારે લોકડાઉનના સમયગાળા દરમિયાન ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ યોજના હેઠળ જૂન સુધી 3 મહિના માટે પ્રત્યેક રાશનકાર્ડ ધારકને મફત એક કિલો દાળ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.
કેમ રદ થયા રાશનકાર્ડ
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, આધાર અને રાશનકાર્ડ લિંકિંગ જરૂરી છે. તેથી રાશન કાર્ડ રદ થયા છે. તે સિવાય ખોટા રાશન કાર્ડ પણ બનાવીને સરકારની સ્કીમથી મફતમાં અનાજ અને અન્ય સામાન લેવામાં આવી રહ્યા છે. આ રાશન કાર્ડ પણ રદ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કુલ 80 કરોડ લોકોની પાસે રાશન કાર્ડ છે. આ પહેલને મોટા પ્રમાણમાં ઘણા પ્રવાસી લાભાર્થિયો જેવા કે, મજૂર, દૈનિક મજૂર, બ્લૂ-કોલર શ્રમિકો આદિના કલ્યાણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે દેશભરમાં રોજગારની તલાશમાં ઘણીવખત પોતાના નિવાસ સ્થાન બદલે છે.
હવે શુ કરો
રાશન કાર્ડ કેન્સલ થવા પર તમારા ખાદ્ય આપૂર્તિ વિભાગમાં જઈને તેની જાણકારી લેવી હશે. જ્યાં પોતાનુ રાશન કાર્ડ અને આધાર કાર્ડ દેખાડે છે. આધાર નંબરને રાશન કાર્ડથી લિંગ કરવામાં આવ્યા છે. ત્યારબાદ પોતાનુ નવુ રાશન કાર્ડ બનશે અને જૂનુ જ ચાલુ રહેશે.
1 જૂનથી શરૂ થી રહી છે આ સ્કીમ
તમને જણાવી દઈએ કે, સરકાર 1 જૂન 2020 થી ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ યોજનાને લાગુ કરી આપશે. તે થકી જૂના અને નવા રાશન કાર્ડ ધારક દેશમાં કોઈપણ રાશનની દુકાનથી ક્યાંય પણ રાશન ખરીદી શકશે. કેન્દ્રિય ઉપભોક્ચા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને હાલમાં જ તેની જાહેરાત કરી છે. તેને રાશનકાર્ડ પોર્ટેબિલિટી કહેવામાં આવી રહ્યા છે.