રાજકોટ-અમદાવાદ વચ્ચે વાહન વ્યવહાર થયો બંધ, ફક્ત આ સેવા રહેશે ચાલુ
Vehicle traffic between Rajkot-Ahmedabad was closed, only this service will continue.

રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે હવે એક પછી એક કડક નિયમો લદાઈ રહ્યા છે. અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉનનું અમલીકરણ માટે ફક્ત દૂધ અને દવા સિવાય તમામ વસ્તુઓનું 15 મે સુધી બંધ કર્યા પછી હવે રાજકોટ કલેક્ટરે પણ અમદાવાદ રાજકોટ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ આવવા જવા પર પ્રતિબંધ મુકતા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે બન્ને શહેરો વચ્ચે માત્ર એમ્બ્યુલન્સ અને મેડિકલ સેવા માટે જ પરિવહન થઈ શકશે.
અમદાવાદમાં કોરોના વધુ સંક્રમણ અમદાવાદમાં છે. મહેસાણા સહિત ઘણાં જિલ્લાઓમાં કોરોના પોઝીટીવનું અમદાવાદ કનેક્શન નિકળતાં હવે રાજકોટ કલેક્ટરે પણ રાજકોટમાં અમદાવાદ કનેક્શન ના નીકળે તે માટે હવે અમદાવાદ રાજકોટ વચ્ચે વાહનવ્યવહાર સેવા બંધ કરી દીધી છે. રાજકોટ બાદ હવે સુરતમાં પણ આ બાબતે સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.
✤✤ Updates on Telegram Channel : Click Here ✤✤